ETV Bharat / state

પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ - Patan ST Depot

કોરોના મહામારીને પગલે લદાયેલાં લૉકડાઉનમાં સમગ્ર રાજ્યની સાથે પાટણ એસ.ટી.ડેપો દ્વારા પણ એસટી બસોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ તબક્કાવાર એસટી બસોના રુટ શરૂ કરી દેવાયાં છે.એસટી બસ સંચાલનના પ્રથમ ચરણમાં લાંબા રૂટની બસોનું શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યું હતું.હવે લોક ડાઉન પહેલાં ચલાવાતાં 17 રુટની નિયમિત બસો હતી તે પણ શરુ કરી દેવામાં આવી છે.

પાટણ એસ.ટી.ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણ એસ.ટી.ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
author img

By

Published : Sep 8, 2020, 4:24 PM IST

પાટણઃ પાટણ એસ.ટી.ડેપો દ્વારા લોક ડાઉન બાદ તબક્કાવાર વિવિધ રૂટોની બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ રોકાણ કરતી 17 શિડયૂલની બસ ચાલુ કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતા મુસાફરોને સરળતા રહેશે.

પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
કોરોના મહામારી અને લોક ડાઉનમા સમગ્ર રાજ્યની સાથે પાટણ એસ.ટી.ડેપો દ્વારા પણ એસટી બસોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. જે અનલોક બાદ તબક્કાવાર શરૂ કરી પ્રથમ લાંબા રૂટની બસોનું શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકારની સૂચના મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિરોકાણ કરતી બસોનું સંચાલન શરૂ કરવા વિભાગીય કચેરીએ વિવિધ ડેપોને સૂચનાઓ આપતાં પાટણ એસ.ટી.ડેપો દ્વારા પાટણ થી સુરેલ, નડાબેટ, માવસરી, રતનપુર, આમેટ રાજસ્થાન, તેમ જ રબારી કોલોની, ઊંઝા, વસ્ત્રાલ, માતપુર, કસલપુર આમલુન, વાસા, શાસમ,ટોટાણા,મહેસાણા સહિતના 17 રૂટો જે લોક ડાઉન પહેલાં નિયમિત ચાલુ હતાં તે રૂટો ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે. આ સેવા શરુ થતાં ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતાં મુસાફરોને સરળતા રહેશે.
પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણ એસ.ટી.ડેપો દ્વારા હાલમાં 70% બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ એસટી બસોમાં હાલમાં માત્ર 40 ટકા મુસાફરોનું પરિવહન કરવાની છૂટ મળી છે જેને લઇ એસટી નિગમની આવકમાં ફરક પડ્યો નથી પરંતુ મુસાફરોને સુવિધા મળી રહી છે.

પાટણઃ પાટણ એસ.ટી.ડેપો દ્વારા લોક ડાઉન બાદ તબક્કાવાર વિવિધ રૂટોની બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ રોકાણ કરતી 17 શિડયૂલની બસ ચાલુ કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતા મુસાફરોને સરળતા રહેશે.

પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
કોરોના મહામારી અને લોક ડાઉનમા સમગ્ર રાજ્યની સાથે પાટણ એસ.ટી.ડેપો દ્વારા પણ એસટી બસોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. જે અનલોક બાદ તબક્કાવાર શરૂ કરી પ્રથમ લાંબા રૂટની બસોનું શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકારની સૂચના મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિરોકાણ કરતી બસોનું સંચાલન શરૂ કરવા વિભાગીય કચેરીએ વિવિધ ડેપોને સૂચનાઓ આપતાં પાટણ એસ.ટી.ડેપો દ્વારા પાટણ થી સુરેલ, નડાબેટ, માવસરી, રતનપુર, આમેટ રાજસ્થાન, તેમ જ રબારી કોલોની, ઊંઝા, વસ્ત્રાલ, માતપુર, કસલપુર આમલુન, વાસા, શાસમ,ટોટાણા,મહેસાણા સહિતના 17 રૂટો જે લોક ડાઉન પહેલાં નિયમિત ચાલુ હતાં તે રૂટો ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે. આ સેવા શરુ થતાં ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતાં મુસાફરોને સરળતા રહેશે.
પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણ એસ.ટી.ડેપો દ્વારા હાલમાં 70% બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ એસટી બસોમાં હાલમાં માત્ર 40 ટકા મુસાફરોનું પરિવહન કરવાની છૂટ મળી છે જેને લઇ એસટી નિગમની આવકમાં ફરક પડ્યો નથી પરંતુ મુસાફરોને સુવિધા મળી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.