ETV Bharat / state

મોરબી: હળવદના રાયસંગપર ગામે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબુર - પુલ

મોરબી: જિલ્લાના હળવદ તાલુકાના રાયસંગપરની ગામ તેમજ અન્ય ગામના 200 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીવના જોખમે જવું પડે છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવને જોખમમાં મુકવો પડે છે. તો આવો જોઈએ એવી તો વળી કંઈ મુસીબત છે કે, જેથી રોજ 150 થી 200 વિદ્યાર્થીઓના જીવ પર જોખમ તોળાતું રહે છે અને આવી ગંભીર સ્થિતિ માટે જવાબદાર આખરે કોણ છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં..

halvad
હળવદના રાયસંગપર ગામે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબુર
author img

By

Published : Dec 12, 2019, 9:19 PM IST

હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલ છે. જેથી આ ગામ વચ્ચે આવવા જવા માટે હવે આ પુલ ઉપયોગમાં લઇ શકાય તેમ ના હોય જેથી ગ્રામજનોએ પાંચ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડે છે. અંતરિયાળ એવા ગામડાઓમાં વાહનની સગવડો પણ ના હોય જેથી માત્ર પુલ રિપેરીંગ ના કરવાના તંત્રના અક્કડ વલણને કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અહી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. કારણ કે, ગામના વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરીને સામે પાર આવેલા મયુરનગર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવું પડે છે. એ પણ જીવના જોખમે.

હળવદના રાયસંગપર ગામે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબુર

ગામના ધોરણ 9 થી 12ના કુલ મળીને 200 જેટલા વિદ્યાર્થીઓને મયુરનગર જવા માટે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને પાંચ કિલોમીટર ફરીને જવા માટે પણ વાહનની સગવડ નથી જેથી નદી પાર કરીને જીવના જોખમે અહીંથી જ પસાર થવું પડે છે. જેના માટે ગ્રામજનોએ હુકડા જેવું બનાવ્યું છે. જોકે તેના પરથી પસાર થવામાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે. છતાં અક્ષર જ્ઞાન માટે વિદ્યાર્થીઓ આવા જીવના જોખમે પણ હાઈસ્કૂલ પહોંચે છે. જે અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે, પુલ આજકાલનો નહીં, પરંતુ તૂટી ગયાને ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ રીપેર કરવા માટે તંત્ર અને સરકાર કોઈ પગલા લેતું નથી અને વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઈ રહ્યાં છે.

આમ 2800ની વસ્તી ધરાવતા ગ્રામજનો અને તેનાથી પણ વિશેષ 200 જેટલા ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે તંત્ર આટલું ઉદાસીન કેવી રીતે હોઈ સકે તેવા સવાલો પણ અહી ચોક્કસ ઉદભવે છે. ગ્રામજનોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેના જીવથી પણ વ્હાલા બાળકો રોજ જીવના જોખમે નદી પાર કરે છે અને ક્યારે દુર્ઘટના સર્જાય તેવો ઉચાટ સતત વાલીઓના મનમાં જોવા મળી રહ્યો છે.

કાર્યક્રમો પાછળ કરોડોના આંધણ કરી શકતી સરકાર પાસે પુલ રીપેર કરાવવા કે, નવો બનાવવા માટે નાણાકીય જોગવાઈ ના હોય તેવું લાગી રહ્યું છે. પુલનો પ્રશ્ન ચાર વર્ષથી અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે

હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલ છે. જેથી આ ગામ વચ્ચે આવવા જવા માટે હવે આ પુલ ઉપયોગમાં લઇ શકાય તેમ ના હોય જેથી ગ્રામજનોએ પાંચ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડે છે. અંતરિયાળ એવા ગામડાઓમાં વાહનની સગવડો પણ ના હોય જેથી માત્ર પુલ રિપેરીંગ ના કરવાના તંત્રના અક્કડ વલણને કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અહી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. કારણ કે, ગામના વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરીને સામે પાર આવેલા મયુરનગર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવું પડે છે. એ પણ જીવના જોખમે.

હળવદના રાયસંગપર ગામે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબુર

ગામના ધોરણ 9 થી 12ના કુલ મળીને 200 જેટલા વિદ્યાર્થીઓને મયુરનગર જવા માટે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને પાંચ કિલોમીટર ફરીને જવા માટે પણ વાહનની સગવડ નથી જેથી નદી પાર કરીને જીવના જોખમે અહીંથી જ પસાર થવું પડે છે. જેના માટે ગ્રામજનોએ હુકડા જેવું બનાવ્યું છે. જોકે તેના પરથી પસાર થવામાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે. છતાં અક્ષર જ્ઞાન માટે વિદ્યાર્થીઓ આવા જીવના જોખમે પણ હાઈસ્કૂલ પહોંચે છે. જે અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે, પુલ આજકાલનો નહીં, પરંતુ તૂટી ગયાને ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ રીપેર કરવા માટે તંત્ર અને સરકાર કોઈ પગલા લેતું નથી અને વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઈ રહ્યાં છે.

આમ 2800ની વસ્તી ધરાવતા ગ્રામજનો અને તેનાથી પણ વિશેષ 200 જેટલા ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે તંત્ર આટલું ઉદાસીન કેવી રીતે હોઈ સકે તેવા સવાલો પણ અહી ચોક્કસ ઉદભવે છે. ગ્રામજનોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેના જીવથી પણ વ્હાલા બાળકો રોજ જીવના જોખમે નદી પાર કરે છે અને ક્યારે દુર્ઘટના સર્જાય તેવો ઉચાટ સતત વાલીઓના મનમાં જોવા મળી રહ્યો છે.

કાર્યક્રમો પાછળ કરોડોના આંધણ કરી શકતી સરકાર પાસે પુલ રીપેર કરાવવા કે, નવો બનાવવા માટે નાણાકીય જોગવાઈ ના હોય તેવું લાગી રહ્યું છે. પુલનો પ્રશ્ન ચાર વર્ષથી અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે

Intro:gj_mrb_02_raysangpar_pul_problem_bite_01_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_bite_02_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_bite_03_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_bite_04_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_bite_05_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_visual_01_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_visual_02_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_script_pkg_gj10004
gj_mrb_02_raysangpar_pul_problem_pkg_gj10004
Body:લોકેશન : હળવદ (મોરબી)
એન્કર :
         ભારત ગામડાઓનો બનેલો દેશ હોવાનું કહેવાતું હતુ જોકે આજના સમયમાં ગામડાઓ ખાલી થઇ રહ્યા છે અને ગામડામાં સુવિધાઓના અભાવ તેમજ ધંધા રોજગાર ના હોવાથી હવે શહેર તરફ સ્થળાંતર વધી રહ્યું છે ગામડાનું જીવન શાંતિપૂર્ણ અને સુખી માનવામાં આવે છે છતાં પણ ગ્રામજનો સુવિધાઓનો અભાવ, શિક્ષણનો અભાવ અને ધંધા રોજગાર માટે પોતાના ગામ છોડવા મજબુર બનતા હોય છે સુવિધાઓનો ગામડામાં કેવો અભાવ જોવા મળે છે અને સરકાર તેમજ તંત્રની ઉદાસીનતાથી ગ્રામજનોને રોજ કેવા નર્કાગારમાંથી પસાર થવું પડે છે તે સમજવું હોય તો ચાલો હળવદ તાલુકાના રાયસંગપરની સ્થિતિ જાણીએ આ ગામના તેમજ અન્ય ગામના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીવના જોખમે જવું પડે છે જી હા વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવને જોખમમાં મુકવો પડે છે તો આવો જોઈએ એવી તો વળી શી મુસીબત છે કે જેથી રોજ ૧૫૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ ના જીવ પર જોખમ તોળાતું રહે છે અને આવી ગંભીર સ્થિતિ માટે જવાબદાર આખરે કોણ છે આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં....
વીઓ : ૧
હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલ છે જેથી આ ગામ વચ્ચે આવવા જવા માટે હવે આ પુલ ઉપયોગમાં લઇ સકાય તેમ ના હોય જેથી ગ્રામજનોએ પાંચ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડે છે વળી અંતરિયાળ એવા ગામડાઓમાં વાહનની સગવડો પણ ના હોય જેથી માત્ર પુલ રીપેરીંગ ના કરવાના તંત્રના અક્કડ વલણને કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી પરંતુ નવી મોકાણ સર્જાય છે કારણકે ગામના વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરીને સામે પાર આવેલા મયુરનગર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવું પડે છે એ પણ જીવના જોખમે.
બાઈટ ૧ : નરેન્દ્રસિંહ રાણા – અગ્રણી, રાયસંગપર ગામ
વીઓ : ૨
         હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પરનો પુલ તૂટી ગયો હોય અને રાયસંગપર ગામ તેમજ ચાડધ્રા ગામના ધોરણ ૯ થી ૧૨ ના કુલ મળીને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને મયુરનગર જવા માટે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને પાંચ કિલોમીટર ફરીને જવા માટે પણ વાહનની સગવડ નથી જેથી નદી પાર કરીને જીવના જોખમે અહીંથી જ પસાર થવું પડે છે જેના માટે ગ્રામજનોએ હુકડા જેવું બનાવ્યું છે જોકે તેના પરથી પસાર થવામાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે છતાં અક્ષર જ્ઞાન માટે વિદ્યાર્થીઓ આવા જીવના જોખમે પણ હાઈસ્કૂલ પહોંચે છે જે અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે પુલ આજકાલનો નહિ પરંતુ તૂટી ગયાને ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ રીપેર કરવા માટે તંત્ર અને સરકાર કોઈ પગલા લેતું નથી અને વિદ્યાર્થીઓ મુશેકેલીમાં મુકાઈ રહ્યા છે
બાઈટ ૨ : વિજય અઘારીયા – વિદ્યાર્થી
બાઈટ 3 : રિદ્ધિ ભાડજા – વિદ્યાર્થીની
વીઓ : 3
         એક તરફ ગુજરાતની સરકાર બેટી બચાવો બેટી પઢાઓના તેમજ મહિલા સશક્તિકરણના નારા આપે છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીનીઓને અભ્યાસ અર્થે હાઈસ્કૂલ જવા માટે જીવના જોખમે પસાર થવું પડે છે તેવા આક્રોશ સાથે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે શાળાએ જવા માટે તેને ખુબ વહેલું તૈયાર થવું પડે છે સવારે છ વાગ્યામાં તેને નીકળવું પડે છે અને છતાં મોટાભાગે શાળાએ મોડા જ પહોંચી સકે છે વળી બપોરે શાળાએથી છૂટ્યા બાદ પણ આ નદી જીવના જોખમે પાર કરીને ઘરે પરત ફરતા ઘણો સમય વેડફાઈ જાય છે ઉપરાંત શારીરિક થાક પણ એટલો લાગતો હોવાથી અભ્યાસ માટે સમય બચતો જ નથી અને રાત્રે જાગીને હોમવર્ક અને અભ્યાસ કરવો પડે છે પરંતુ સવારે ફરી વહેલું ઊઠવાનું હોય ત્યારે રાત્રે ઉજાગરા પણ કરવા મુશ્કેલ પડતા હોવાની વ્યથા ઠાલવી હતી તો અનેક રજુઆતો કરી હોવાનું જણાવીને અન્ય વિદ્યાર્થી જણાવે છે કે તંત્રને ગ્રામજનોની પીડા સમજાતી નથી એક વખત સરકારી અધિકારી અહી આવીને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ લે તેવી આજીજી પણ કરતા જોવા મળ્યા હતા
બાઈટ ૪ : કોમલ – વિદ્યાર્થીની
બાઈટ ૫ : અર્જુન ટાબરીયા – વિદ્યાર્થી
વીઓ : ૪
         આમ ૨૮૦૦ ની વસ્તી ધરાવતા ગ્રામજનો અને તેનાથી પણ વિશેષ ૨૦૦ જેટલા ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે તંત્ર આટલું ઉદાસીન કેવી રીતે હોઈ સકે તેવા સવાલો પણ અહી ચોક્કસ ઉદભવે છે ગ્રામજનોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કારણકે તેના જીવથી પણ વ્હાલા બાળકો રોજ જીવના જોખમે નદી પાર કરે છે અને ક્યારે દુર્ઘટના સર્જાય તેવો ઉચાટ સતત વાલીઓના મનમાં જોવા મળી રહ્યો છે જોકે કાર્યક્રમો પાછળ કરોડોના આંધણ કરી સકતી સરકાર પાસે પુલ રીપેર કરાવવા કે નવો બનાવવા માટે નાણાકીય જોગવાઈ ના હોય તેવું લાગી રહ્યું છે અને પુલનો પ્રશ્ન ચાર વર્ષથી અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.