ETV Bharat / state

કચ્છ જિલ્લા સંકલન સમિતિની ભુજ ખાતે બેઠક યોજાઈ, સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ - gujarati news

કચ્છ: જિલ્‍લા સંકલન સમિતિની બીજા તબક્કાની બેઠક ભુજ ખાતે મળી હતી. જેમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિરાકરણ અને અમલીકરણ માટે સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા કલેક્ટર દ્વારા વિવિધ જરૂરી સૂચનો પણ કરાયા હતા.

જિલ્લા સંકલન સમિતિની ભુજ ખાતે બેઠક યોજાઇ
author img

By

Published : Jul 21, 2019, 5:22 PM IST

મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી. જેમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રાખીને પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરીને તેનો નિકાલ કરાયો હતો.

આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢાએ કચ્છ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ, દુર્ગાપુર, મોટી રાયણ, મોટી ખાખર, મોટી ભુજપુર, મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપાદનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા વિશેષ રજૂઆતો કરી હતી.

આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કયાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમ કે હવેળા બનાવવામાં આવ્યા તે અંગે વિતગોની રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા અને કઇ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું? કેટલા વૃક્ષોનું રિપ્લાન્ટીંગ કરાયું, પવનચક્કી, ઇલેક્ટ્રીક ટાવર તેમજ ઉદ્યોગો દ્વારા કરાયેલા વૃક્ષોના નિકંદન અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.

મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી. જેમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રાખીને પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરીને તેનો નિકાલ કરાયો હતો.

આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢાએ કચ્છ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ, દુર્ગાપુર, મોટી રાયણ, મોટી ખાખર, મોટી ભુજપુર, મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપાદનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા વિશેષ રજૂઆતો કરી હતી.

આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કયાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમ કે હવેળા બનાવવામાં આવ્યા તે અંગે વિતગોની રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા અને કઇ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું? કેટલા વૃક્ષોનું રિપ્લાન્ટીંગ કરાયું, પવનચક્કી, ઇલેક્ટ્રીક ટાવર તેમજ ઉદ્યોગો દ્વારા કરાયેલા વૃક્ષોના નિકંદન અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.

Intro:કચ્છ જિલ્‍લા સંકલન સમિતિની બીજા તબક્કાની બેઠક ભુજ ખાતે મળેલી હતી જેમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિરાકરણ અને અમલીકરણ માટે સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા- વિચારણા હાથ ધરાઇ હતી. રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા કલેક્ટર દ્વારા વિવિધ જરૂરી સુચનો પણ કરાયા હતા.Body:મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી જેમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રાખીને પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરીને નિકાલ કરાયો હતો. બેઠકના પ્રારંભે અધિક નિવાસ કલેક્ટર કે. એસ. ઝાલાએ સૌ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કાર્યવાહી હાથ ધરી હતી.

આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહજી સોઢાએ કચ્છ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્ર્સિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ, દુર્ગાપુર, મોટી રાયણ, મોટી ખાખર, મોટી ભુજપુર, મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપદાનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા રજૂઆતો કરી હતી.
અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કયાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમ કે હવાળા બનાવવામાં આવ્યા તે અંગે વિતગોની રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા અને કઇ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું? કેટલા વૃક્ષોનું રિપ્લાન્ટીંગ કરાયું પવનચક્કી, ઇલેક્ટ્રીક ટાવર તેમજ ઉદ્યોગો દ્વારા કરાયેલા વૃક્ષોના નિકંદન અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.