ETV Bharat / state

જાણો આદિવાસી સમાજમાં સારી ખેતી અને ગંભીર બિમારીઓથી બચાવા કરાતી "ગુદંરુ"ની જાતર વિધિ વિશે - tribal society

દાહોદ: જિલ્લામાં ચોમાસુ પાકના વાવેતર સાથે જ આદિવાસી સમાજના લોકો લીલા શાકભાજી ખાવાનું બંધ કરે છે. ત્યાર બાદ જ્યાં સુધી "ગુદંરુ"ની જાતર વિધિ ન થાય ત્યાં સુધી સુકી વસ્તુઓનું ભોજન આરોગતા હોય છે. દાહોદ જિલ્લા પંથકના ગામોમાં હાલ "ગુદંરુ"બેસાડીને જાતર વિધિ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

ETV bharat dhahod
author img

By

Published : Aug 9, 2019, 9:50 PM IST

વર્ષાઋતુના આગમન સાથે પકૃતિ સોળે કળાએ ખીલતા આદિવાસી પરિવારો આનંદ ઉલ્લાસભેર ખેતી કામોમાં જોતરાઈ જતા હોય છે. ચોમાસુ ઋતુનો પ્રારંભ થતા નવા વસ્ત્રો પરિધાન કરી આદિવાસી ભાઈઓ શૃંગાર સાથે ખેતરમાં હળ જોડીને વાવેતરમાં લાગી જાય છે. ખેતરમાં બિયારણનું વાવેતર કરવાના દિવસથી જ રૂઢિ પરંપરા પ્રમાણે ઘરના વડવાઓ લીલા શાકભાજી રાંધવાનું બંધ કરે છે. ગામમાં જ્યાં સુધી ગ્રામજનો દ્વારા "ગુદંરુ" બેસાડી જાતરની પૂજા અર્ચના કરાય નહીં ત્યાં સુધી લીલા શાકભાજીની જગ્યાએ સુકાવેલ શાકભાજી અથવા તો કઠોર રાંધીને ભોજન સ્વરૂપે આરોગવાની માન્યતા રહેલી છે.

આદિવાસીની પરંપરાગત પૂજા "ગુદંરુ"

ખેતરમાં બિયારણના વાવેતર કર્યાના મહિનામાં ધરતી પર નવા ધાન્ય અને લીલી શાકભાજી લહેરાવવા માંડે છે. સારા પાકની આશા સાથે આદિવાસી સમુદાય દ્વારા (બડવા) પૂજારીને બોલાવીને ગામમાં આદિવાસીઓના દેવ કચુંબર, સાવનમા, કાળકામાં, ખત્રી દેવાની સ્થાપના કરવામાં આવે છે. "ગુદંરુ"ની સ્થાપના સમયે ગામના માણસો એકઠા થઈ ભીલી ભાષામાં દેવોના ભજન અને સ્તુતિ કરતા હોય છે. આ પુજન વિધિના કારણે ગામમાં સારી ખેતી થાય છે. પશુધને કોઈ રોગ કે બીમારી થતી નથી. ગામના લોકો ગંભીર મહામારી પ્રકારની બીમારીથી બચતો હોવાની માન્યતા રહેલી છે. ગુદંરુ બેસાડ્યાના બીજા દિવસે સવારે આદિવાસી પરંપરા મુજબ ભોજન સાથે હવન વિધિ કરવામાં આવે છે. સ્થાપના કરેલ પૂજાપો ગામની સીમમાં મૂક્યા બાદ પરત આવતા હોય છે. આનંદ ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ આદિવાસી પરિવારના લોકો લીલા શાકભાજીનું ભોજન આરોગવાની પરંપરા રહેલી છે.

વર્ષાઋતુના આગમન સાથે પકૃતિ સોળે કળાએ ખીલતા આદિવાસી પરિવારો આનંદ ઉલ્લાસભેર ખેતી કામોમાં જોતરાઈ જતા હોય છે. ચોમાસુ ઋતુનો પ્રારંભ થતા નવા વસ્ત્રો પરિધાન કરી આદિવાસી ભાઈઓ શૃંગાર સાથે ખેતરમાં હળ જોડીને વાવેતરમાં લાગી જાય છે. ખેતરમાં બિયારણનું વાવેતર કરવાના દિવસથી જ રૂઢિ પરંપરા પ્રમાણે ઘરના વડવાઓ લીલા શાકભાજી રાંધવાનું બંધ કરે છે. ગામમાં જ્યાં સુધી ગ્રામજનો દ્વારા "ગુદંરુ" બેસાડી જાતરની પૂજા અર્ચના કરાય નહીં ત્યાં સુધી લીલા શાકભાજીની જગ્યાએ સુકાવેલ શાકભાજી અથવા તો કઠોર રાંધીને ભોજન સ્વરૂપે આરોગવાની માન્યતા રહેલી છે.

આદિવાસીની પરંપરાગત પૂજા "ગુદંરુ"

ખેતરમાં બિયારણના વાવેતર કર્યાના મહિનામાં ધરતી પર નવા ધાન્ય અને લીલી શાકભાજી લહેરાવવા માંડે છે. સારા પાકની આશા સાથે આદિવાસી સમુદાય દ્વારા (બડવા) પૂજારીને બોલાવીને ગામમાં આદિવાસીઓના દેવ કચુંબર, સાવનમા, કાળકામાં, ખત્રી દેવાની સ્થાપના કરવામાં આવે છે. "ગુદંરુ"ની સ્થાપના સમયે ગામના માણસો એકઠા થઈ ભીલી ભાષામાં દેવોના ભજન અને સ્તુતિ કરતા હોય છે. આ પુજન વિધિના કારણે ગામમાં સારી ખેતી થાય છે. પશુધને કોઈ રોગ કે બીમારી થતી નથી. ગામના લોકો ગંભીર મહામારી પ્રકારની બીમારીથી બચતો હોવાની માન્યતા રહેલી છે. ગુદંરુ બેસાડ્યાના બીજા દિવસે સવારે આદિવાસી પરંપરા મુજબ ભોજન સાથે હવન વિધિ કરવામાં આવે છે. સ્થાપના કરેલ પૂજાપો ગામની સીમમાં મૂક્યા બાદ પરત આવતા હોય છે. આનંદ ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ આદિવાસી પરિવારના લોકો લીલા શાકભાજીનું ભોજન આરોગવાની પરંપરા રહેલી છે.

Intro:આદિવાસી સમાજ માં સારી ખેતી અને ગંભીર બિમારીઓથી બચાવવા કરાતી ગુંદરુની જાતર વિધિ

દાહોદ, દાહોદ જિલ્લામાં ચોમાસુ પાકના વાવેતર સાથે જ આદિવાસી સમાજના લોકો લીલા શાકભાજી ખાવાનું બંધ કરવામાં આવે છે ત્યારબાદ જ્યાં સુધી "ગુદંરુ" ની જાતર વિધિ ન થાય ત્યાં સુધી સુકી વસ્તુઓનું ભોજન આરોગતા હોય છે દાહોદ જિલ્લા પંથક ના ગામોમાં હાલ "ગુદંરુ"બેસાડી ને જાતર વિધિ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.




Body:વર્ષા ઋતુના આગમન સાથે પકૃતિ સોળે કળાએ ખીલતા આદિવાસી પરિવારો આનંદ ઉલ્લાસભેર ખેતી કામોમાં જોતરાઈ જતા હોય છે ચોમાસુ ઋતુનો પ્રારંભ થતા નવા વસ્ત્રો પરિધાન કરી આદિવાસી ભાઈઓ શૃંગાર સાથે ખેતરમાં હળ જોડીને વાવેતરમાં લાગી જતા હોય છે ખેતરમાં બિયારણનું વાવેતર કરવાના દિવસથી જ રૂઢિ પરંપરા પ્રમાણે ઘરના વડવાઓ લીલા શાકભાજી રાંધવાનું બંધ કરી દેતા હોય છે અને ગામમાં જ્યાં સુધી ગ્રામજનો દ્વારા "ગુદંરુ" બેસાડી જાતર ની પૂજા અર્ચના કરાય નહીં ત્યાં સુધી લીલા શાકભાજીની જગ્યાએ સુકાવેલ શાકભાજી અથવા તો કઠોર રાંધીને ભોજન સ્વરૂપે આરોગવાની માન્યતા રહેલી છે. ખેતરમાં બિયારણના વાવેતર કર્યાના મહિનામાં ધરતી પર નવા ધાન્ય અને લીલી શાકભાજી લહેરાવવા માંડે છે ત્યારે સારા પાકની આશા સાથે આદિવાસી સમુદાય દ્વારા (બડવા) પૂજારીને બોલાવીને ગામમાં આદિવાસીઓના દેવ કચુંબર, સાવનમા, કાળકામાં, ખત્રી દેવાની સ્થાપના કરવામાં આવે છે "ગુદંરુ"ની સ્થાપના સમયે ગામના માણસો ભેગા થઈ ભીલી ભાષામાં દેવોના ભજન અને સ્તુતિ કરતા હોય છે આ પુજન વિધિ ના કારણે ગામમાં સારી ખેતી થતી હોય છે પશુધનને કોઈ રોગ કે બીમારી થતી નથી અને ગામના લોકો ગંભીર મહામારી પ્રકારની બીમારીથી બચતો હોવાની માન્યતા રહેલી છે ગુદંરુ બેસાડ્યાના બીજા દિવસે સવારે આદિવાસી પરંપરા મુજબ ભોજન સાથે હવન વિધિ કરવામાં આવતી હોય છે અને સ્થાપના કરેલ પૂજાપો ગામની સીમમાં મૂક્યા બાદ પરત આવતા હોય છે આનંદ ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ આદિવાસી પરિવારના લોકો લીલા શાકભાજીનુ ભોજન આરોગવાની પરંપરા રહેલી છે

બાઇટ-બડવો(પૂજારી)- જયંતીભાઈ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.