અમદાવાદઃ ધોળકાના નિવૃત શિક્ષિકા રંજનબહેને પોતાની કુલ બચતમાંથી ફક્ત રૂપિયા 10,000 જે તેમના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે પોતાની પાસે રાખ્યાં છે. રંજનબહેને જણાવ્યું હતું કે, દેશસેવા માત્ર સરહદ પર જવાથી જ થાય તેવું નથી. ઘરમાં બેસીને પણ દેશની સેવા કરી શકાય છે.
આજે સમગ્ર દેશ એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે શિક્ષિકા તરીકે મને સતત એવું થયા કરતું હતું કે, મારે મારી શક્તિ મુજબ કોઈને કોઈ રીતે દેશને મદદરૂપ થવું જોઈએ. આ વિચારમાંથી જ મારા પેન્શન પેટે વાર્ષિક આવક અને તેની બચત છે. જેમાંની મોટાભાગની રકમ મેં મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા નક્કી કરતાં રૂપિયા 1,11,111નો ચેક શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અર્પણ કર્યો છે.