ETV Bharat / entertainment

દિગ્ગજ તેલુગુ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ શોક - કૈકલા સત્યનારાયણનું થયુ અવસાન

ટોલીવુડના જાણીતા પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું (Kaikala Satyanarayana passes away) છે. આ સમાચાર તેલુગુ ફિલ્મ (veteran telugu actor) ઈન્ડસ્ટ્રી માટે આંચકાથી ઓછા નથી. જ્યારથી આ સમાચાર તેમના ચાહકોમાં આવ્યા છે, ત્યારથી આઘાતમાં છે. અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરે તેની અભિનય યાત્રા શરૂ કરી હતી.

દિગ્ગજ તેલુગુ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ શોક
દિગ્ગજ તેલુગુ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ શોક
author img

By

Published : Dec 23, 2022, 1:08 PM IST

હૈદરાબાદ: તેલુગુ ફિલ્મ (veteran telugu actor) ઈન્ડસ્ટ્રીના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ટોલીવુડના જાણીતા પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું (Kaikala Satyanarayana passes away) છે. કૈકલાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા લાંબા સમયથી વય સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. કૈકલા સત્યનારાયણની લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે એટલે કે, શુક્રવારે (તારીખ 23 ડિસેમ્બર) સવારે અભિનેતાનું નિધન થયું છે. દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અભિનેતા ચિરંજીવીથી લઈને દક્ષિણના દિગ્ગજ કલાકારોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • Saddened to know about the passing of Kaikala Satyanarayana garu. An absolute legend who immortalised many characters on our Telugu silver screen.

    Om Shanti

    — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Deeply saddened to hear the demise of Kaikala Satyanarayana Garu..
    His contribution to our film industry will be remembered forever !!
    May his soul rest in peace🙏

    — Ram Charan (@AlwaysRamCharan) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Grief-stricken by the demise of the
    legendary actor Kaikala Satyanarayana garu. He is One of the finest actors Indian cinema has ever seen.

    My sincere condolences to his family & dear ones. Om Shanti 🙏

    — Ravi Teja (@RaviTeja_offl) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં શોક: આ સમાચાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આંચકાથી ઓછા નથી. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના સ્ટાર પુત્ર રામ ચરણે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને રવિ તેજા સહિત ઘણા સાઉથ કલાકારોએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પરિવાર પર દુ:ખ: કૈકલા સત્યનારાયણના જવાથી તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કૈકલા તેલુગુ સિનેમા અને સમાજનું એક મોટું નામ છે અને અહીં તેમના ચાહકોની યાદી ઘણી લાંબી છે. જ્યારથી આ સમાચાર તેમના ચાહકોમાં આવ્યા છે, ત્યારથી તે આઘાતમાં છે અને ભારે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. કૈકલાના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કૈકલાનું અંગત જીવન: જો આપણે કૈકલાના અંગત જીવન વિશે જાણીએ તો, તેમણે તારીખ 10 એપ્રિલ 1960ના રોજ નાગેશ્વરમ્મા સાથે લગ્ન કર્યા હતા. પીઢ અભિનેતાને 4 બાળકો છે. જેમાં 2 પુત્ર અને 2 પુત્રી છે. કૈકલા સત્યનારાયણ દિગ્ગજ અભિનેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની ખૂબ નજીક હતા.

કૈકલાની ફિલ્મી કારકિર્દી: અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરે તેની અભિનય યાત્રા શરૂ કરી હતી. વર્ષ 1959માં તેણે ફિલ્મ 'સિપાહી કુથુરુ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેઓ છેલ્લે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ 'મહર્ષિ' (વર્ષ 2019)માં દાદાના રોલમાં જોવા મળ્યા હતા. તેણે પોતાની 70 વર્ષની ફિલ્મી કરિયરમાં 700થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.

હૈદરાબાદ: તેલુગુ ફિલ્મ (veteran telugu actor) ઈન્ડસ્ટ્રીના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ટોલીવુડના જાણીતા પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું (Kaikala Satyanarayana passes away) છે. કૈકલાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા લાંબા સમયથી વય સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. કૈકલા સત્યનારાયણની લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે એટલે કે, શુક્રવારે (તારીખ 23 ડિસેમ્બર) સવારે અભિનેતાનું નિધન થયું છે. દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અભિનેતા ચિરંજીવીથી લઈને દક્ષિણના દિગ્ગજ કલાકારોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • Saddened to know about the passing of Kaikala Satyanarayana garu. An absolute legend who immortalised many characters on our Telugu silver screen.

    Om Shanti

    — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Deeply saddened to hear the demise of Kaikala Satyanarayana Garu..
    His contribution to our film industry will be remembered forever !!
    May his soul rest in peace🙏

    — Ram Charan (@AlwaysRamCharan) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Grief-stricken by the demise of the
    legendary actor Kaikala Satyanarayana garu. He is One of the finest actors Indian cinema has ever seen.

    My sincere condolences to his family & dear ones. Om Shanti 🙏

    — Ravi Teja (@RaviTeja_offl) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં શોક: આ સમાચાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આંચકાથી ઓછા નથી. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના સ્ટાર પુત્ર રામ ચરણે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને રવિ તેજા સહિત ઘણા સાઉથ કલાકારોએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પરિવાર પર દુ:ખ: કૈકલા સત્યનારાયણના જવાથી તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કૈકલા તેલુગુ સિનેમા અને સમાજનું એક મોટું નામ છે અને અહીં તેમના ચાહકોની યાદી ઘણી લાંબી છે. જ્યારથી આ સમાચાર તેમના ચાહકોમાં આવ્યા છે, ત્યારથી તે આઘાતમાં છે અને ભારે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. કૈકલાના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કૈકલાનું અંગત જીવન: જો આપણે કૈકલાના અંગત જીવન વિશે જાણીએ તો, તેમણે તારીખ 10 એપ્રિલ 1960ના રોજ નાગેશ્વરમ્મા સાથે લગ્ન કર્યા હતા. પીઢ અભિનેતાને 4 બાળકો છે. જેમાં 2 પુત્ર અને 2 પુત્રી છે. કૈકલા સત્યનારાયણ દિગ્ગજ અભિનેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની ખૂબ નજીક હતા.

કૈકલાની ફિલ્મી કારકિર્દી: અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરે તેની અભિનય યાત્રા શરૂ કરી હતી. વર્ષ 1959માં તેણે ફિલ્મ 'સિપાહી કુથુરુ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેઓ છેલ્લે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ 'મહર્ષિ' (વર્ષ 2019)માં દાદાના રોલમાં જોવા મળ્યા હતા. તેણે પોતાની 70 વર્ષની ફિલ્મી કરિયરમાં 700થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.