વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ડંકાની ચોટ પર આતંકવાદ સામે એક થઈ આતંકવાદનો ખાત્મો કરવા વિશ્વભરમાં પહેલ કરી રહ્યા છે. હેલ્મેટ પહેર્યા વગર દાંડી યાત્રા પર નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે, એક તરફ ગાંધીજીની વાત કરવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ નિયમ પાળતી નથી. કોંગ્રેસ દ્વારા દાંડીથી આજે જે સંદેશ યાત્રા કાઢી છે. કોંગ્રેસ હાર પછી ડિપ્રેશનમાં છે. કોંગ્રેસમાં નેતાગીરીનો લૂપ્ત છે. એક તરફ ગાંધી માટે કઈ કરવાની માનસિકતા નથી અને ગાંધીને ક્રાયકર્મો કરી રાજકારણ કરે છે.
દિવ્યાંગો માટેના ચેરિટી ફેશન શો ‘એમ્પાવરિંગ ડિવાઇનીટી’માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યપ્રધાનની પત્ની અંજલિ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં. અંજલિ રૂપાણી સહિત ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દિવ્યાંગ બાળકો સાથે રેમ્પ પર ચાલ્યા હતાં.