જૂનાગઢઃ માંગરોળના શીલ ગામના લોકો દ્વારા ગામમાં શાંતિ જાળવાઇ રહે તેવા હેતુ સાથે માંગરોળના મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. માંગરોળના શીલ ગામે ઘણા સમયથી રામદેવપીર મંદિરની બાજુમાં સરકારી જગ્યા પેશકદમી કરવા મુદે બે કોમ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે પ્રથમ અનુસૂચિત જાતિના લોકોએ આવેદનપત્ર આપીને પેશકદમી ખુલ્લી કરવાની માગ કરી હતી અને ત્યારબાદ શીલ ગામના લોકોએ આવેદનપત્ર આપીને ગામમાં શાંતિ જળવાઇ રહે તેવી માગ કરી હતી.