કાબુલમાં શીખ ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકવાદીઓનો હુમલો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાન પર ભીષણ હુમલો (Terrorists Attack on Kabul Gurudwara) થયો છે. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ગુરુદ્વારા કર્તા પર્વના પ્રમુખ ગુરનામ સિંહે કહ્યું કે શીખ ગુરુદ્વારાની આસપાસમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. અનેક વિસ્ફોટો પણ સંભળાયા હતા. વિસ્ફોટના કારણે આકાશમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. મનજિન્દર સિરસાએ ટ્વિટર પર હુમલાનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા કર્તા પર્વનું ભયાનક દ્રશ્ય, જેમાં આજે સવારે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુદ્વારા સાહિબ સંકુલમાં અનેક વિસ્ફોટ થયા હતા.