રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી વિવાદ, સતત બીજા દિવસે શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે બંધ
શામળાજીઃ રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી વિવાદના આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગુજરાતથી રાજસ્થાન જતા ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે . શામળાજી પોલીસ દ્વારા વાહનનો આશ્રમ ચાર રસ્તાથી ભિલોડા,અને હિંમતનગર તરફ મોકલવામાં આવી રહ્યા છે. બીજા દિવસે પણ શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે બંધ રહેતા માલ વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. અટવાયેલા વાહન ચાલકો રોડ પર ભોજન બનાવવા મજબૂર બન્યા હતા. આંદોલનને લઈ ગુજરાતના સરહદી જિલ્લામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો શામળાજી તૈનાત છે.