રાજકોટમાં ભગવંત માને ગરબા અને ભાંગડાના સ્ટેપ કર્યા - Rajkot Navratri Festival
રાજકોટ: દિલ્હીના મુખ્યપ્રધાન અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન રાજકોટની મુલાકાતે (Rajkot Navratri Festival) આવ્યા હતા. ત્યાં તેમણે નીલસિટી ક્લબ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં પંજાબના સીએમ ભગવંત માને હાજરી આપી હતી અને તેમણે ખેલૈયાઓને ઉત્સાહિત કરવા માટે પંજાબી સ્ટાઇલમાં રાસ લીધા (CM Bhagwant Maan took a Garba ) હતા. જેમાં ભગવંત માને ગરબા અને ભાંગળાના ફ્યુઝન રાસડા લેતા લોકોમાં આકર્ષણ ઊભુ કર્યુ હતુ. આ સાથે અરવિંદ કેજરીવાલે શહેરના અર્વાચીન રાસોત્સવમાં પણ હાજરી આપી હતી.
Last Updated : Oct 2, 2022, 2:17 PM IST