અંબાજી ખાતે માં અંબાના ચાંચરચોકમાં ખેલૈયાઓ મન ભરીને રાસ રમતા નજરે પડ્યા - Banaskantha Navratri
બનાસકાંઠા : આજે આસો દુર્ગાષ્ટમી છે. નવરાત્રી પૂર્ણાહુતીના આરે છે. ખેલૈયાઓ મન મૂકીને રાસ રમી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના ચાંચરચોકમાં સાતમાં નોરતે ખેલૈયાઓ મન ભરીને રાસ રમતા નજરે પડ્યા હતા. જો કે, રાસ શરૂ થયા પહેલા વરસાદે ભારે ગર્જના કરી હતી. પણ માતાજીના ચોકમાં આરતી થયા બાદ વરસાદ ન વરસતા ખેલીયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. બીજી બાજુ ખૈલેયોઓએ દાંડિયા સાથે રાસ રમવાનો આનંદ માણ્યો હતો.