ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીને લઈ ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા ઉજવણીનો કાર્યક્રમ ભાગ-3 - ગાંધીનગર સમાચાર
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીને લઈ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે અંગે થઈ આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન થયું હતું. જેમાં જાણીતા કલાકારોએ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓને વાગોળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બવાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.