ગુજરાતના લોકગાયક પ્રફૂલ દવેએ લતા મંગેશકરને પાઠવી શ્રદ્ધાંજલી, તેમની સાથે કામ ન કરી શકવાનો વસવસો - લતા મંગેશકરને શ્રદ્ધાંજલી
અમદાવાદ: ભારત રત્ન લતા મંગેશકરનું 92 નિધન થતાં ઘણાં લોકોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ગુજરાતના લોક ગાયક પ્રફુલ દવેએ Etv Bharat સાથે શ્રદ્ધાંજલી (Praful Dave pays tribute to Lata Mangeshkar) પાઠવતા જણાવ્યું હતું કે સ્વર, તાલ, સંગીત જેવા વિવિધ પાસાઓની દુનિયાનો એક યુગ એટલે લતા મંગેશકર. તે યુગ આજે સમાપ્ત થયો છે. લતાજીએ ગુજરાતી સંગીત ગાવાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક અડધી ગુજરાતી છું અને મારે તમારી સાથે ગુજરાતી ગીત ગાવાની ઈચ્છા છે પણ હું કામમાં વ્યસ્ત હોવાથી હું સમય ન કાઢી શક્યો તેનો મને જીવનભર અફસોસ રહેશે.