ગુજરાત

gujarat

By

Published : Nov 6, 2019, 5:14 PM IST

ETV Bharat / videos

ગિરનારમાં લીલી પરિક્રમાનો લ્હાવો લેવા પરિક્રમાર્થીની ભીડ ઉમટી

જૂનાગઢઃ કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો શુભ આરંભ થઇ રહ્યો છે. આ પરિક્રમામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી ભાવિક-ભક્તોની ભીડ ઉમટે છે. પરિક્રમાને હવે 48 કલાક બાકી છે, ત્યારે પરિક્રમાના પહેલા પડાવવામાં ભવનાથ વિસ્તારમાં પરિક્રમા ઇચ્છુક પરિક્રમાર્થીઓની ભીડમાં વધારો થઈ રહ્યો છે. ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા માટે અગાઉથી ઉતારા મંડળો પણ સેવાકાર્યમાં ભવનાથ તળેટી પહોંચી ગયા છે. તો બીજી તરફ 'મહા' વાવઝોડાનાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી વનવિભાગ દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details