ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોઈના કહેવાથી વાહન ઊભું રાખવું યુવકને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ - undefined

By

Published : May 21, 2022, 9:08 AM IST

ચેન્નઈના અમીનજીકરાઈમાં બુધવારે (18 મે)એ એક ફાઈનાન્સ કંપનીના 36 વર્ષીય માલિકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, મૃતકની ઓળખ ચેટપેટના અરુમુગમ તરીકે થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે અરુમુગમ તેના મિત્ર રમેશ સાથે ટુ-વ્હીલરમાં અન્ના નગરમાં તેની ઓફિસ જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ત્રણ બાઈક પર આવેલા છ માણસોએ પુલા એવન્યુ નજીક અરુમુગમને રોકીને મારી નાખ્યા. આ સાથે જ ટોળકી સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અરુમુગમ સામે હત્યાના કેસ સહિત વિવિધ કેસ પેન્ડિંગ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. દરમિયાન, ગુરુવારે (19 મે), ચેન્નાઈના શેનોય નગરના રોહિત રાજ (31) અને ચંદ્રશેખર (28) એ અરુમુગમની હત્યાના આરોપમાં કલ્લાકુરિચી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. મેજિસ્ટ્રેટે બંનેને 15 દિવસના રિમાન્ડ પર લેવા આદેશ કર્યો છે. પોલીસ અન્ય ચાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details