દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો - gujarat monsoon news
સુરત: લાંબા વિરામ બાદ સુરત જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસતા નદીનાળાઓ છલકાયા હતા, ત્યારે હાલ થોડા વર્ષ પહેલાં જ સરકાર દ્વારા પ્રવાસન સ્થળ જાહેર કરેલું ઉમરપાડાના દેવઘાટ પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો અને ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો હતો, ત્યારે હાલ વરસાદ વરસતા ઉમરપાડા જંગલ વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટ્યા હતા.
Last Updated : Jul 19, 2021, 2:32 PM IST