પંજાબમાં બેરોજગાર મહિલા શિક્ષકો થઈ ગુસ્સે , વીડિયો કર્યો વાયરલ અને કહ્યું કેજરીવાલે પોતાનું વચન ન પાળ્યું - વીડિયો વાયરલ કર્યો
પંજાબ : શહીદ-એ-આઝમ ભગત સિંહના જન્મદિવસ પર બેરોજગાર પીટીઆઈ શિક્ષકોએ શહીદના જ ગામ ખટકર કલાનમાં મોરચો ખોલ્યો છે. 646 પીટીઆઈ બેરોજગાર શિક્ષક શહીદ ભગતસિંહના ઘર પાસેની ટાંકી પર ચઢી ગયા અને ધરણા (Unemployed women teachers in Punjab are angry) કર્યા હતા. બેરોજગાર શિક્ષકોનું કહેવું છે કે, ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે તેમને વચન આપ્યું હતું કે, તેઓ સત્તામાં આવતાની સાથે જ તેમની ભરતી કરવામાં આવશે, પરંતુ હજુ સુધી આ વચન પૂર્ણ થયું નથી. આ દરમિયાન ટાંકી પર ચઢી બેરોજગાર પીટીઆઈ મહિલા શિક્ષક સિપ્પી શર્માએ (ARVIND KEJRIWALS SISTER SIPPY SHARMA PROTESTED) પોતાનો એક વીડિયો બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બેરોજગાર પીટીઆઈ મહિલા શિક્ષિકા કહી રહી છે કે તેના ભાઈ અરવિંદ કેજરીવાલે તેને વચન આપ્યું હતું કે, તે સત્તામાં આવતાની સાથે જ તેને નોકરી આપવામાં આવશે, પરંતુ હજુ સુધી તે વચન પૂરું થયું નથી.