બાલાસિનોર: સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોનો શણગાર અને ડ્રાયફ્રુટના અન્નકૂટ દર્શન - annakoot bhog and ekadashi celebrations organised in swaminarayan temple balasinor
બાલાસિનોર: બાલાસિનોરમાં આવેલ મહિલાઓના સ્વામિનારાયણ મંદિરમાં સાંખ્ય યોગી બહેનો દ્વારા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધનુષમાસ પ્રસંગે ભગવાનને સાંખ્ય યોગી બહેનો દ્વારા ફૂલોનો શણગાર તથા ડ્રાયફ્રુટ્સના અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેના દરેક હરિભક્તોએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરમાં સત્સંગી બહેનો દ્વારા એકાદશીના પાઠ કરવામાં આવ્યા હતા. મંદિરમાં લાઈટ ડેકોરેશન, ફુલોનો શણગાર અને ડ્રાયફ્રુટ્સના અન્નકુટના દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.