ગુજરાત

gujarat

ETV Bharat / videos

બિહારમાં અગ્નિપથ યોજનાનો કરવામાં આવ્યો વિરોધ - Opposition to Agneepath project in Balia

By

Published : Jun 17, 2022, 1:24 PM IST

બલિયામાં અગ્નિપથ યોજનાના વિરોધમાં (Opposition to the Agneepath project) યુવકોએ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. પ્રદર્શનકારીઓએ શહેરમાં ઘણી દુકાનોના કાઉન્ટરો પણ તોડી નાખ્યા હતા. હંગામો મચાવતા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ (Police charged the baton) કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલ અને પોલીસ અધિક્ષક રાજકરણ નૈય્યર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલે કહ્યું કે, કેટલાક યુવકોએ ટ્રેનને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તે જ સમયે, પોલીસ અધિક્ષક રાજકરણ નાયરે કહ્યું કે, હજુ સુધી કોઈ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી નથી. વીડિયો દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. યુવાનોને સમજાવટથી દૂર કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થતી કાબૂમાં લાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details