હૈદરાબાદ દુષ્કર્મ કેસ: જામનગરમાં ABVPના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું - rap news
જામનગરઃ હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા સાથે દુષ્કર્મ કરી જીવતી સળગાવાની ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં ABVPના કાર્યકર્તાઓ ડીકેવી સર્કલ ખાતે એકઠા થયા હતા. પૂતળા દહન કરી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.