નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલાયા, 6 ગામોને એલર્ટ કરાયા
નર્મદાઃ જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કરજણ ડેમના ઉપરવાસમાં આવેલ ડેડીયાપાડા અને સાગબારા બન્ને તાલુકાઓમાં 7 ઇંચ વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક વધતા જળ સપાટી 108.80 મીટર પર પહોંચી. જે તેની રુલ લેવલ સપાટી વટાવતા તંત્ર દ્વારા ડેમની સુરક્ષા માટે ડેમના 3 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. કરજણ નદીના કાંઠાના વિસ્તારના ભદામ, હજરપુરા, ભચરવાળા, ધાનપોર, ધમણાચા અને તોરણા ગામોને સાવધાન કરી દેવામાં આવ્યા છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે અને પાણીની આવક સતત ચાલુ રહેશે તો તબક્કા વાર પાંચ ગેટ પણ ખોલી 50 હજારથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે.