ગુજરાત

gujarat

પોરબંદરમાં મેળાના ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડેલા યુવાનનું મોત

By

Published : Sep 2, 2020, 2:13 PM IST

પોરબંદરના માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. આ પૂરના પાણીમાં એક યુવાન ન્હાવા ગયો હતો. આ દરમિયાન 22 વર્ષનો આ યુવાન ડૂબી જતા તેનુ મૃત્યું થયુ હતુ. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા ગામના 5 યુવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકને પૂરમાંથી બહાર કાઢી તાત્કાલિક માધવપુર સામુહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડ્યો હતો. જ્યાં તે યુવાનને સામુહિક આરોગ્ય તબીબે મૃત જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details