કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી - Department of Social and Justice Empowerment
નર્મદા: ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના(Department of Social and Justice Empowerment) પ્રધાન રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા(Ramdas Athwal visited Statue of Unity) હતા. અઠવાલે મુલાકાત દરમિયાન ઇજનેરી કૌશલ્યના વખાણ કર્યા હતા. તેમને યુ.પી. ઇલેક્શન બાબતે જણાવતા કહ્યું કે, જે લોકોને ટિકિટ નથી મળી તેવા લોકો જ પાર્ટી છોડીને જાય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યુ.પી ઇલેક્શનમાં ભાજપને 300થી વધુ સીટોથી બહુમતી મળશે, તેમજ પંજાબ સરકાર દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પણ પંજાબ સરકારની આકરી ટીકા કરી હતી.
Last Updated : Jan 16, 2022, 6:00 PM IST