તલોદના મહિયરમાં અઢી લાખ લીટરની પાણીની ટાંકી ધરાશાયી, કોઇ જાનહાનિ નહીં - Two and a half lakh liter water tank collapses
સાબરકાંઠાના તલોદમાં મહિયર ગામે અઢી લાખ લીટરની પાણીની ટાંકી જર્જરિત થઇ ચૂકી હતી. જેના પગલે સ્થાનિક ગ્રામ પંચાયતના (Local Gram Panchayat) સહયોગથી પાણીની ટાંકી તોડી નાખવાનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત આજે તલોદના મહિયાલ ગામે પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે, તેમજ પાંચ લાખ લીટરની કેપેસિટી ધરાવતી પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત આજે અઢી લાખ લીટર પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. લોકો માટે પાણીની ટાંકી ટોક ઓફ ધી ટાઉન બની છે, જો કે ટાંકી ધરાશાયી (water tank collapses) થતાં હજી સુધી એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી.