અમદાવાદમાં સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
અમદાવાદઃ ભારત અને ચીન સરહદ પર થયેલી અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા શાહીબાગ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ શહીદોના સ્મરણમાં નારા લગાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.