ઓનલાઈન કંપની સામે સુરતના ટેકસટાઇલ વેપારીઓનું ધરણા પ્રદર્શન - Surat news today
સુરત: એમેઝોન અને ફ્લિપકાર્ટ કંપની સામે સુરતના ટેકસટાઇલ વેપારીઓએ ધરણા પ્રદર્શન કર્યું છે. ઓનલાઈન વેપારને કારણે થતા નુકસાનને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા ખાતે કાપડના વેપારીઓ ધરણા પર બેઠાં છે. ઓનલાઈન કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા સસ્તા દરે કરવામાં આવતા પ્રોડક્ટના વેચાણ સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.