સુરેન્દ્રનગરમાં ચોરી-લૂંટ અને અપહરણના બનાવો વધારો થતા વેપારીઓએ રેલી યોજી - સુરેન્દ્રનગરમાં ચોરી લૂંટ અને અપહરણ
સુરેન્દ્રનગર: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરી, લૂંટ અને અપહરણના બનાવોમાં વધારો થયો છે. જેથી સુરેન્દ્રનગરના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વઢવાણ શહેરમાં સોની વેપારીના અપહરણ બાદ પોલીસે અપહરણકારોને પકડી પાડતા સુરેન્દ્રનગરના સોના ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓ અને કારીગરોએ સોમવારે સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો.