વલસાડમાં જામ્યો રાજપૂતોની તલવારબાજીનો રંગ... - Valsad Snehmilan Program
વલસાડઃ ક્ષત્રિય રાજપૂત સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો મહિલાઓ યુવતીઓ અને યુવકો દ્વારા પરંપરાગત તલવાર બાજી રજૂ કરવામાં આવતા સૌમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું .રજપૂત સમાજના હોલમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા વાપી સેલવાસ વલસાડ નવસારીનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.