વાદળછાયુ વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા - Aravalli latest news
અરવલ્લીઃ જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક લણવાના સમયે જો વરસાદ પડશે તો તેમને ભારે નુકસાન જશે.