તૌકતેને લઇને પોરબંદરની સ્થિતિ - porbandar latest news
પોરબંદરઃ રાજ્યમાં કોરોના કહેર વચ્ચે 'તૌકતે' નામની કુદરતી આફત આવી પડી છે, ત્યારે પોરબંદર વહીવટી તંત્ર આને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. જેને લઇને જિલ્લાના માછામારોને સ્થળાંતર કરવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો ખોરવાતા અટકાવવા માટે હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.