370 જેટલા શબ્જી ધારકોને ખસેડી ગુજરી બજાર ખાતે શીફ્ટ કરાયા - korona news
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જમાલપુર ખાતે આવેલી શાકમાર્કેટનો રસ્તો નાનો હોવાને લીધે તેમજ તે જગ્યાએ લોકોની ભીડ થઈ જતી હોવાને લીધે આ શાકમાર્કેટને એલિસ બ્રિજ ખાતે આવેલી ગુજરી માર્કેટ ભરાઇ છેે, ત્યાં શિફટ કરવામાં આવ્યા છે. જ્યા 370 જેટલા શાકવાળાને એક-એક મીટરના અંતર પર રાખવામાં આવ્યા છે. તેમજ તેમને થોડા મિનિટના અંતરે સેનીટાઇઝરથી હાથ ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ મોઢા પરથી માસ્ક દૂર નહીં કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.