આજે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ, આ નવરાત્રીનું શું છે મહત્વ...જાણો - Gujarati News
અમદાવાદ: માઁ આદ્યશકિતની આરાધનામાં લીન થવાનો પર્વ આવી ગયો છે, ચૈત્રી નવરાત્રીના પર્વની આજથી શરુઆત થઇ રહી છે. અત્યંત પવિત્ર અને ખુબ જ કલ્યાણકારી આ પર્વની ભક્તો અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરે છે અને માઁ ની આરાધના કરી આશીર્વાદ મેળવે છે. આ અંગે જ્યોતિષાચાર્ય વાસુદેવભાઈ શાસ્ત્રીએ ETV Bharat સાથે વાતચીત કરી હતી.