જામનગરમાં ST ડેપો ખાતે આરોગ્ય અને ST તંત્ર દ્વારા સેનેટાઇઝર અને પત્રિકા વિતરણ - કોરોના વાયરસ
જામનગર: વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ST ડેપો ખાતે આરોગ્ય અને ST તંત્ર દ્વારા સેનેટાઇઝર અને પત્રિકા વિતરણ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ભીડ વાળી જગ્યા પર લોકો એકઠા ન થાય તે માટે એડવાયઝરી જાહેર કરી છે. ખાસ કરીને લોકોમાં કોરોના વાયરસને લઈ જાગૃતતા આવે તેમજ જાહેર સ્થળો પર જતી વખતે લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરે તેવી ભલામણ કરવામાં આવી છે.