કૃષિ બિલ-2020 પર જૂનાગઢના ખેડૂતોનો પ્રતિસાદ... - Response of Junagadh farmers on agricultural bill
જૂનાગઢ: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંશોધન બીલ 2020 સંસદના બંને ગૃહોમાં પાસ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલાને લઈને etv ભારતે જૂનાગઢના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી અને બીલ અંગે તેમનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જૂનાગઢના ખેડૂતો આ બીલને અયોગ્ય માની રહ્યા છે આ બીલમાં હજુ પણ કેટલાક સુધારાઓને અવકાશ છે. વળી આ બીલથી કંપનીઓના અધિકારીઓ રાજાશાહી વખતની ઉઘરાણીમાં વ્યસ્ત બની રહેશે જેમાં ખેડૂત અટવાયેલો જોવા મળશે તો સાથે સાથે ખેડૂતોના હિત માટે શરૂ કરાયેલી એપીએમસી નવા કૃષિ વિષયક બીલને લઇને મૃતપાય બની જશે એવો મત જૂનાગઢના ખેડૂતોએ etv ભારત સમક્ષ આજે વ્યક્ત કર્યો હતો.