રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશ પાઠકે કર્યું મતદાન
મહીસાગરઃ 18 પંચમહાલ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત આજે સમગ્ર દેશમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ત્રીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકે તેમનો મત બાલાસિનોર મત વિસ્તારના કરણપુર ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.