અમદાવાદઃ કોરોનાની અસર, ત્રણ દરવાજા સહિતના બજારો સજ્જડ બંધ
અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે 14 કલાક માટે જનતા કરફ્યૂ સમગ્ર દેશમાં રાખવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ લોકોએ કરફ્યૂને સમર્થન આપતા જાતે જ બંધ રાખ્યું છે. જેની અસર અમદાવાદના લાલદારવાજા પાસે પણ જોવા મળી છે. લાલદારવાજા અને ત્રણ દરવાજા પાસે આવેલા બજાર સામાન્ય દિવસોમાં દિવસ-રાત ભરચક હોય છે. જે રવિવારે સવારથી જ ખાલી જોવા મળ્યો હતાં.