મોરબીમાં પોલીસ જવાનો ગરબે ધુમ્યાં
મોરબીઃ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઈનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરનરાજ વાધેલા, પી.આઈ. આઈ.એમ.કોંઢીયા, પી.આઈ આર.જે.ચૌધરી, તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલ સહીત પોલીસ જવાનો ગરબે ધુમ્યા હતા. આ શુભ પ્રસંગે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ સ્વચ્છતાનો આગ્રહ રાખવા અનુરોધ કર્યો હતો. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.