વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાશેઃ વિજય રૂપાણી - PM Modi's birthday to be celebrated at the Statue of Unity
અમદાવાદઃ 17 સપ્ટેમ્બરના રોજ આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ બે વર્ષમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટી નોંધાઈ છે, ત્યારે વડાપ્રધાનના જન્મદિન અને ડેમની ઐતિહાસિક સપાટીની બેવડી ખુશીની ઉજવણી નર્મદા ખાતે કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે.