જામનગરઃ શહેરમાં હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય શિવશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં નીકળેલ મહાદેવની ભવ્ય વરણાંગીમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય જોડાયાં હતાં, તો મોટી સંખ્યામાં શિવભક્તો પણ જોડાયા હતા. આ શિવશોભા યાત્રા વરણાંગી શહેરના રાજમાર્ગ પર પસાર થઈ હતી.