કોરોના વાઈરસને લઇ જનતા કર્ફ્યુને સમર્થન આપતા દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર - LATEST NEWS IN Devbhumi Dwarka
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં રોજના લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જેને રોકવા માટે હાલમાં મંદિરના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. જેમાં 31 માર્ચ સુધી મંદિર બહારથી બંધ રહેશે. તેમજ દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા પણ જનતા કર્ફ્યુને સમર્થન આપવામાં આવ્યું છે. આ અંગે પુજારી દ્વારા જણાવવામાં આવ્યું કે, ભાવિકો ભગવાન દ્વારકાધીશના મોબાઈલ ઉપર ઇન્ટરનેટ દ્વારા લાઇવ દર્શન કરી અને આશીર્વાદ લઈ શકશે.