ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીએ ભારતની માછીમારી બોટ પર કર્યું ફાયરિંગ, 1ને ઇજા - ચાર માછીમારી બોટો

By

Published : Apr 13, 2020, 9:52 AM IST

દેવભૂમિ દ્વારકાઃ પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ભારતની ચાર માછીમારી બોટો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઓખા બંદર ઉપરથી માછીમારી કરવા નીકળેલી માંગરોળની 4 માછીમારી બોટો પાકિસ્તાનના દરિયાઈ સીમમાં 50 માઈલ અંદર ઘૂસીને માછીમારી કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં માંગરોળની "ઓમકાર" નામની બોટના એક માછીમારને ખભાને ભાગે ગંભીર ઈજાઓ પહોચી છે. ઓખા કોસટગાર્ડ દ્વારા 4 બોટોને પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીઓ પાસેથી મહામહેનતે બચાવવામાં સફળતા મળી છે. તમામ માછીમારોનેે ઓખા બંદર ઉપર લાવવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details