ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ - Latest news Of Rajkot

By

Published : Oct 7, 2019, 11:35 AM IST

રાજકોટઃ યુનિવર્સિટી રોડ નજીક આવેલ વસંત માર્વેલ અપાર્મેન્ટમાં વર્ષ 2012થી નવરાત્રીનું અયોજન કરવામાં આવે છે. આ અપાર્મેન્ટમાં અંદાજીત 100થી વધુ પરિવાર વસવાટ કરે છે. જેઓ દર વર્ષે નવરાત્રીને ખૂબ જ ભવ્ય રીતે ગરબા રમીને મનાવે છે. સૌથી નવાઈની વાત એ છે કે, નવરાત્રી અગાઉ સોસાયટીના સભ્યો દ્વારા કોરિયોગ્રાફર રાખવામાં આવે છે. જે ગરબાના અવનવા સ્ટેપ સોસાયટી વાસીઓને શીખવે છે. આ સાથે જ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારના નાનામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન પણ અહીં ગરબે રમે છે. સૌ પોતાના પરિવાર સાથે ખુબ જ ઉત્સાહથી ગરબા રમી શકે તેવા પ્રકારનું અયોજન કરવામાં આવે છે. સોસાયટીમાં પ્રાચીન અને અર્વાચીન બન્ને પ્રકારના ગરબા રમવામાં આવે છે. જેથી કરીને સૌ કોઇ નાના મોટા ગરબાની મોજ માણી શકે.

ABOUT THE AUTHOR

...view details