જામનગરને ગ્રીનઝોનમાં સમાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં સાંસદની રજૂઆત - સાસંદ
જામનગર : દેશમાં હાલમાં લોકડાઉન છે, ત્યારે ગતરોજ ફરી બે અઠવાડિયા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે રાજ્યોના તમામ જિલ્લાઓની વહેંચણી ઝોન વાઇઝ કરી છે. જેમાં રાજ્ય સરકારે જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવીષ્ટ કર્યો છે. આ તકે જિલ્લાને ગ્રીનઝોનમાં સમાવેશ કરવા બાબતે સાંસદ પુનમબેન માડમે રાજ્ય સરકાર, ગૃહ અને આરોગ્ય મંત્રાલયમાં ટેલીફોનીક વાતચીત કરી અને રજૂઆત કરી હતી. જેનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
Last Updated : May 2, 2020, 7:32 PM IST