માલપુર તાલુકામાં સોમાવરથી બજારો ફકત છ કલાક માટે ખુલશે - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. રોજના સરેરાશ ચાર કેસ નોંધાય રહ્યા છે. આ પરિસ્થિતિમાં હાલ એક માત્ર માલપુર તાલુકો કોરોના મુકત છે, ત્યારે આગામી સમયમાં આ સ્થિતિની જાળવી રાખવા અને બહારના લોકોનું સંક્રમણના ફેલાય તે માટે સોમવારથી માલપુરની બજારો સવારે 8થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો સ્વયંભૂ નિર્ણય કરવામાં અવ્યો છે. ગામના તમામ નાના મોટા વેપારીઓએ પણ કોરોના સામે લડવા માટે સંમતિ આપી છે.