ગીરસોમનાથ:ગ્રહણ નિમિતે પ્રભાસ તીર્થમાં સૂર્યમંદિરમાં મંત્રજાપ કરાયા - Suryamandir in Prabhas Tirtha
ગીરસોમનાથઃસૂર્યગ્રહણ નિમિતે સોમનાથ ત્રિવેણી સંગમ પર આવેલા સૂર્યમંદિરમાં સામુહિક ઉપાસના કરવામાં આવી હતી. જેમાં સૌએ કોરોના મહામારીથી વિશ્વમુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સૂર્યગ્રહણની અસરોને પગલે સોમનાથ તીર્થમાં આવેલા ત્રિવેણી સંગમ નજીકના પાંડવકાળના પૌરાણિક સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યની મૂર્તિને ઢાંકીને સૂર્યદેવની સાથે શિવજીની પણ ઉપાસના કરાઈ હતી. તેમજ આખો દિવસ મંત્રજાપ કરાયા હતા.