રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં ચૂંટણીના પરિણામના અંતે ભાજપનો ભગવો લહેરાયો હતો.