કેશોદમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થતાં ખેડુતોમાં આનંદનો માહોલ - keshod rain
જુનાગઢ: કેશોદમાં ધીમીધારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.અત્યાર સુઘીમાં મોસમનો કુલ 563 મીમી વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ સહિતના તાલુકાઓમાં વરસાદ ઓછો થયો હોવાથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા. કુવા તેમજ બોરમાં પાણી ન હોવાથી મગફળીનો પાક પણ સુકાઇ ગયો હતો. પરંતુ આજે ફરી પાછો વરસાદ શરૂ થતાં મગફળીના પાકને જીવનદાન મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Last Updated : Aug 31, 2019, 9:35 PM IST