મોરબીમાં જલારામ જયંતિની ઉજવણી કેક કાપીને કરાઇ - Morbi Jalaram Temple
મોરબી: જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તારીખ ૩ રવિવાર કારતક સુદ સાતમના રોજ સંત સિરોમણી જલારામબાપાની 220મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી. જે અંતર્ગત કેક કટીંગ કરી, ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાઓના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.