મહીસાગર પોલીસ અને તથાતા ફાઉન્ડેશન દ્વારા શ્રમિકોને ફ્રૂટ અને પાણી વિતરણ કરાયું - બાલાસિનોર
મહીસાગર: દેશમાં કોરોના વાઇરસ મહાસંકટને કારણે વડાપ્રધાને સમગ્ર દેશમાં લોકડાઉનનું એલાન આપ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વાહન વ્યવહાર બંધ રહેતા અનેક શ્રમિકો અટવાયા છે.ત્યારે જિલ્લા પોલીસ તથા તથાતા ફાઉન્ડેશન દ્વારા તેઓને સવારે ભાજીપાંઉ અને સાંજે કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વતન પહોચાડવા વ્યવસ્થા કરી હતી.